Skip to content

રાજા ભરથરી (ભર્તૃહરિ) ની સંપુર્ણ જીવનકથા

રાજા ભરથરી (ભર્તૃહરિ) ની સંપુર્ણ જીવનકથા
9193 Views

રાજા ભર્તૃહરિ કે જેઓ રાજા ભરથરી તરીકે ઓળખાય છે. આ લેખમાં તેમના સંપુર્ણ જીવન કથાને મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Raja bhartuhari, ભર્તૃહરિ અને ગુરુ ગોરખનાથ, ભરથરીના ભજનો. વિક્રમાદિત્યઅને ભરથરી, ભર્તૃહરિ નો વૈરાગ્ય, રાજા ભરથરી અને પિંગલા.

રાજા ભરથરી (ભર્તૃહરિ) ની જીવનગાથા

રાજા ભર્તૃહરિની જીવનગાથા

રાજા ભર્તૃહરિ / રાજા ભરથરીની સંપૂર્ણ જીવન કથા

જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમસંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ (મોટાભાઇ ) માનવામાં આવે છે. વિક્રમસંવત ઈસવીસન પૂર્વે ૫૬થી પ્રારંભ થાય છે.
જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે.

અત: એમનો સમય એના કરતા થોડો પૂર્વેનો હશે !!!!
વિક્રમ સંવતના પ્રારંભ વિષે વિદ્વાનોમાં મતભેદ છે.
કેટલાંક લોકો એને ઈસવીસન પૂૂર્વે ૭૮ અને કેટલાક લોકો એને ઇસવીસન પૂર્વે ૫૪૪માં એનો પ્રારંભ થયો છે એવું માને છે !!!

કિવદાંતિઓ / દંતકથા —
ભર્તૂહરિ ના જીવન સંબંધિત કેટલીક દંતકથાઓ આ પ્રમાણે છે —

કથા – ૧
એકવાર રાજા ભર્તૂહરિ પોતાની પત્ની પિંગળા સાથે જંગલમાં શિકાર કરવાં ગયા હતાં. ત્યાં ઘણો સમય સુધી ભટક્યાં પછી પણ એમને કોઈ શિકાર મળ્યો નહીં …….
નિરાશ પતિ -પત્ની પાછાં ઘરે ફરી રહ્યાં હતાં
ત્યારે રસ્તામાં એક હરણોનું ઝૂંડ નજરે પડ્યું.
જેની આગળ એક મૃગ ચાલી રહ્યું હતું.
ભર્તૂહરિ એ એના પર પ્રહાર કરવાં માંગતા હતા.
ત્યારે પિંગળાએ એમને રોકીને એમને અનુરોધ કર્યો કે
” મહારાજ આ મૃગરાજ ૭૦૦ હરણીઓનો પતિ અને એમનો પાલનકર્તા છે
એટલાં માટે આપ એનો શિકાર ના કરો. ભર્તૂહરિએ પત્નીની વાત ન માની અને મૃગ પર બાણ ચલાવી દીધું
આનાથી એ મૃગ મરણાસન્ન થઈને જમીન પર પડી ગયું !!!!

પ્રાણ છોડતાં છોડતાં હરણે રાજા ભર્તૂહરિને કહ્યું
” આપે આ સારું નથી કર્યું …….. હવે હું જે કહું છું એનું પાલન કરો
મારાં મૃત્યુ પછી મારાં શિંગડા શૃંગી બાબાને
મારાં નેત્રો ચંચલ નારીને
મારી ત્વચા સાધુ-સંતોને
અને મારાં પગ ભાગતાં ચોરોને
અને મારાં શરીરની માટી પાપી રાજાને આપી દેશો !!!
મરણાસન્ન હરણની કરુણામયી વાતો સંભાળીને ભર્તૂહરિનું હૃદય દ્રવિત થઇ ઉઠ્યું.
હરણના કલેવરને ઘોડા પર લાદીને એ માર્ગ પર ચાલવાં લાગ્યાં. રસ્તામાં એમની મુલાકાત બાબા ગોરખનાથ સાથે થઇ …….

ભર્તૂહરિએ એમને આ ઘટનાથી અવગત કરાવીને એમને આ મૃગને જીવિત કરવાની પ્રાર્થના કરી !!!!
આના પર બાબા ગોરખનાથે કહ્યું ——
” હું એક શરત પર આને જીવનદાન આપી શકું છું કે
આમાં જીવિત થયાં પછી તારે મારાં શિષ્ય બનવું પડશે !!!!”

રાજાએ ગોરખનાથ બાબાની વાત માની લીધી ……
આમ તેઓ ગોરખનાથનાં શિષ્ય બન્યા.

કથા – ૨

ભારતીય વાંગ્મયના આનુપમ ગ્રંથ ભવિષ્ય પુરાણથી એ ખબરપડે છે કે રાજા વિક્રમાદિત્યનો સમય અત્યંત સુખ અને સમૃદ્ધિનો હતો. એ સમયે ઉજ્જૈનમાં એક તપસ્વી ગુરુ ગોરખનાથનું આગમન થયું
ગોરખનાથ રાજાના દરબારમાં પહોંચ્યા
ભર્તૃહરિએ ગોરખનાથનો ઉચિત આદર સત્કાર કર્યો

આનાથી તપસ્વી ગુરુ બહુજ પ્રસન્ન થયાં
પ્રસન્ન થઈને ગોરખનાથે રાજા ભર્તૃહરિને એક ફળ આપ્યું
અને કહ્યું કે — ” આફળ ખાવાથી એ સદૈવ જવાન રહશે ……. ક્યારેય વૃદ્ધત્વ નહીં આવે ………સદાય સુંદરતા બની રહેશે !!!!”
આ ચમત્કારિક ફળ આપીને ગોરખનાથ ત્યાંથી ચાલ્યા ગયાં

રાજાએ ફળ લીધું અને વિચાર કર્યો કે તેને શા માટે યુવાની અને સુંદરતાની જરૂર છે.
કારણ કે રાજા તેની ત્રીજી પત્નીથી ખૂબ જ પ્રભાવિત અને મોહિત હતાં
તેથી તેમણે વિચાર્યું કે જો આ ફળ પિંગળા ખાય તો તે હંમેશા સુંદર અને યુવાન રહેશે.
આ વિચારથી, રાજાએ એ ફળ પિંગળાને આપ્યું.
રાણી પિંગળા ભર્તૃહરિ પર નહીં પણ એમનાં રાજ્યના કોટવાલ પર મોહિત હતી
રાજાને આ વાતની ખબર નહોતી

જ્યારે રાજાએ તે ચમત્કારિક ફળ રાણીને આપ્યું
તો રાણીએ વિચાર્યું કે જો કોટવાલ દ્વારા ફળ ખાવામાં આવે તો તે લાંબા સમય સુધી તેની ઇચ્છાઓ પૂરી કરી શકશે.
રાણીએ આ ચમત્કારિક ફળ કોટવાલને આપી દીધું

આ કોટવાલ એક વેશ્યાને પ્રેમ કરતો હતો
એટલે એ ફળ એણે એ વેશ્યાને આપી દીધું
જેથી એ વેશ્યા સદાય જવાન અને સુંદર બની રહે
વેશ્યાએ આ ફળ લઈને વિચાર્યું કે —-
“જો તે સદાય સુંદર જવાન બની રહેશે
તો એને કાયમ માટે ગંદા કામો કરવાં પડશે
નર્ક સમાન જીવનમાં કયારેય મુક્તિ નહીં મળે
આ ફળની જરૂર તો અમારાં રાજાને છે
રાજા હંમેશા જવાન રહેશે તો જ લાંબા સમય સુધી પ્રજાને સુખ -સુવિધાઓ આપતાં રહેશે !!!”
આમ વિચારીને એણે આ ચમત્કારી ફળ રાજા ભર્તૃહરિને આપી દીધું

રાજા આ ફળ જોઇને હતપ્રભ બની ગયો !!!!
રાજાએ વેશ્યાને પૂછ્યું કે આ ફળ તને ક્યાંથી પ્રાપ્ત થયું છે?
વેશ્યાએ કહ્યું કે કોટવાલે મને આ ફળ આપ્યું છે.
ભર્તૃહરિએ તરત કોટવાલને બોલાવ્યો
સખ્તાઈપૂર્વક કોટવાલની પૂછપરછ પછી કોટવાલે બતાવ્યું કે —-
” આ ફળ રાણી પિંગળાએ આપ્યું છે ……”

જ્યારે ભર્તૃહરિને પૂરી વાતની ખબર પડી ગઈ કે
રાણી પિંગળા એને દગો કરી રહી છે
પત્નીના વિશ્વાસઘાતથી રાજા ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય જાગી ઉઠ્યો.
અને પોતાનું સંપૂર્ણ રાજ્ય રાજા વિક્રમાદિત્યને સોંપીને ઉજ્જૈનની એક ગુફામાં જતાં રહ્યાં

આ ગુફામાં એમણે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી !!!!
રાજા ભર્તૃહરિની કઠોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્ર પણ ભયભીત થઇ ઉઠયો
ઇન્દ્રે વિચાર્યું કે ભર્તુહરિ વરદાન પ્રાપ્ત કરીને સ્વર્ગ પર આક્રમણ કરી દેશે
આ વિચારીને ઇન્દ્રદેવે ભર્તૃહરિ પર એક વિશાળ પથ્થર ગબડાવ્યો.

તપસ્યામાં બેઠેલાં ભર્તૃહરિએ એક હાથથી એ પથ્થર રોકી દીધો અને પોતે તપસ્યા કરતાં રહ્યાં
આ રીતે કેટલાય વર્ષો સુધી તપ કર્યાં પછી એ પથ્થર પર ભર્તૃહરિના પંજાનું નિશાન પડી ગયું
આ નિશાન આજે પણ ભર્તૃહરિની ગુફામાં રાજાની પ્રતિમાની ઉપરવાળાં પથ્થર પર જોવાં મળે છે !!!!
આ પંજાનું નિશાન બહુજ મોટું છે
જેણે જોઇને સહજ જ એ અંદાજ લગાવી શકાય છે કે
રાજા ભર્તુહરિનું કદ કેટલું મોટું હશે !!!

કથા – ૩

એક અન્ય અનુશ્રુતિ અનુસાર ભર્તૂહરિ વિક્રમાદિત્યનાં મોટાં ભાઈ તથા ભારતના પ્રસિદ્ધ સમ્રાટ હતાં. એ માળવાની રાજધાની ઉજ્જયિનીમાં ન્યાય પૂર્વક રાજ કરતાં હતાં. એમની રાણીનુ નામ પિંગળા બતાવવામાં આવે છે. રાજા એમને અત્યંત પ્રેમ કરતાં હતાં. જયારે એ મહારાજ સાથે અત્યંત ક્પટપૂર્ણ વ્યવ્હાર કરતી હતી. યદ્યપિ તેમના નાનાં ભાઈ વિક્રમાદિત્યે રાજા ભર્તૂહરિ ને અનેકોવાર સચેત કર્યાં હતાં. તથાપિ રાજા એની પ્રેમ જાળમાં ફસાયેલા હોવાનાં કારણે એનાં ક્રિયા – કલાપોં પર ધ્યાાન ના આપ્યું. એ અનુશ્રુતિના આધાર પર સંકેત મળે છે કે ભર્તૂહરિ માળવાના નિવાસી તથા વિક્ર્માંદીત્યના મોટાં ભાઈ હતાં.

ભર્તૂહરિની પરીક્ષા

ઉજજૈની (ઉજ્જૈન) ના રાજા ભર્તૂહરિ પાસે ૩૬૫ પાકશાસ્ત્રી એટલે કે રસોઇયા હતાં. જે રાજા અને તેના પરિવાર અને મહેમાનો માટે ભોજન બનાવવા માટે હતાં.
વર્ષમાં એમનો વારો માત્ર માત્ર એક જ દિવસ માટે આવતો હતો. બાકિના ૩૬૪ દિવસ એ રાહ જોતાં બેસી રહેતાં કે ક્યારે એમનો વારો આવે !!! અને અમે રાજાસાહેબ માટે ભોજન બનાવીએ અને એમનાં દ્વારા ઇનામ પ્રાપ્ત કરીએ

પરંતુ આ સમય દરમિયાન, જ્યારે ભર્તૃહરી ગુરુ ગોરખનાથજીના ચરણોમાં જતાં રહ્યાં તે ભિક્ષા માંગીને જીવન જીવવા લાગ્યાં હતાં. એકવાર ગુરુ ગોરખનાથજીએ તેમના શિષ્યોને કહ્યું, ‘જુઓ, એક રાજા બન્યાં પછી પણ એણે કામ, ક્રોધ. લોભ તથા અહંકારને જીતી લીધાં છે અને એ દ્રઢનિશ્ચયી છે ……..!!!!”

શિષ્યોએ કહ્યું — ” ગુરુજી એ તો રાજાધિરાજ છે, એમને ત્યાં યો ૩૬૫ તો બાવર્ચીઓ રહેતાં હતાં ……. આવાં ભોગવિલાસવાળાં વાતાવરણમાંથી આવેલાં રાજા કેવી રીતે કામ, ક્રોધ, લોભ રહિત રહી શક્યા !!!!”

ગુરુ ગોરખનાથજીએ રાજા ભર્તૂહરિને કહ્યું ——
” ભર્તૂહરિ જાઓ …… ભંડાર માટે જંગલમાંથી લાકડાઓ લઇ આવો !!!”

ભર્તૂહરિ ખુલ્લા પગે ગયાં …… જંગલમાંથી લાકડાઓ એકત્રિત કરીને માથા પર ભારો બાંધીને લાવી રહ્યાં હતાં ……

ગોરખનાથજીએ શિષ્યોને કહ્યું —
“જાઓ એમને ધક્કો મારો કે જેથી કરીને એમનાં માથા પરના લાકડાઓ પડી જાય …..”

શિષ્ય ગયાં અને એવો તો જોરથી ધક્કો માર્યો કે માથા પરના બધા જ લાકડાઓ પડી ગયા અને ભર્તૂહરિ પડી ગયાં. ફરીથી બધા લાકડાઓ એકઠા કરી એને કસીને બાંધી પછી માથા પર મૂકી ચાલવા લાગ્યા…..
પરંતુ ચહેરા પર બિલકુલ થકાવટ નહીં
આંખોમાં બિલકુલ ગુસ્સો નહીં
ના હોઠ પર કોઈ અપશબ્દો
ગુરુજીએ શિષ્યોને કહ્યું ——

” જોયું ભર્તૂહરિએ ક્રોધને જીતી લીધો છે !!!!”
શિષ્યોએ કહ્યું ” ગુરુજી હવે તમારે વધુ પરીક્ષા લેવી જોઈએ……”

થોડાં આગળ જતાં, ગુરુજીએ પોતાની યોગશક્તિથી એક મહેલ બનાવ્યો જેમા અનેક સુંદર યુવતીઓ …… નાના પ્રકારના વ્યંજનો આદિથી સેવક એમનો આદર સત્કાર કરવાં લાગ્યાં. ભર્તૂહરિ યુવતીઓ જોઇને પણ કામી ના થયાં અને એમનાં નખરાં પર ક્રોધિત પણ ના થયાં

ગોરખનાથજીએ એમનાં શિષ્યોને કહ્યું —
” હવે તો તમને લોકોને વિશ્વાસ બેસી ગયોને કે ભર્તૂહરીએ કામ, ક્રોધ, લોભ આદિને જીતી લીધાં છે

શિષ્યોએ કહ્યું —” ગુરુદેવ એક પરીક્ષા વધારે લો !!!!”

ગોરખનાથજી એ કહ્યું —” અચ્છા ભર્તૂહરિ મારાં પોતાના બનવાં માટે પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જાઓ તમારે એક મહિનો મરુભૂમિમાં ખુલ્લાં પગે યાત્રા કરવી પડશે !!!”

ભર્તૃહરી તેમના નિર્દિશ માર્ગ પર ચાલે છે પહાડી પ્રદેશ, પસાર કરતાં કરતાં રાજસ્થાનના રણમાં પહોંચ્યા. ધીખેલી રેતીમાં પગ કડાકાની ગરમી માં જો મરુભૂમિમાં પગ મૂકો તોય પગ બળી જાય. એક દિવસ, બે દિવસ એમ યાત્રા કરતાં કરતાં ૬ દિવસ નીકળી ગયાં. સાતમાં દિવસે ગુરુ ગોરખનાથજી અદ્રશ્ય શક્તિથી પોતાનાં પ્રિય શિષ્યોને લઈને ત્યાં પહોંચ્યા

ગોરખનાથજીએ કહ્યું, “જુઓ, આ ભર્તૃહરી જઈ રહ્યો છે ……. હું હવે યોગબળથી એક વૃક્ષ ઉભું કરી દઉં છું …… એ વૃક્ષના છાંયામાં પણ નહીં બેસે !!!!”

ગરમ વહેતી રેતી અને કાળઝાળ ગરમી વચ્ચે અચાનક રસ્તામાં વૃક્ષ ઉભું થઇ ગયું.
ચાલતાં ચાલતાં ભર્તૃહરીનો પગ વૃક્ષની છાયામાં આવી ગયો તો એવી રીતે ઉછળી પડ્યાં જાણે એમનો પગ સળગતાં કોલસા પર નાં આવી ગયો હોય !!!!

“મરુભૂમિમાં આ વૃક્ષ ક્યાંથી આવી ગયું ?
છાંયાવાળાં વૃક્ષની નીચે મારો પગ કેવી રીતે આવી ગયો ?
ગુરુજીની આજ્ઞા હતી મરુભૂમિમાં યાત્રા કરવાની !!!!”
ભર્તૃહરિ કુદીને દૂર જતાં રહ્યાં

ગુરુજી પ્રસન્ન થઇ ગયાં —” જુઓ બધાં, કેવો એ ગુરુની આજ્ઞા માને છે !!!!
જેણે કયારેય પોતાનો પગ ગાલીચાની નીચે નથી રાખ્યો એ મરુભૂમિમાં ચાલતાં ચાલતાં છાયાના સ્પર્શથી અંગારા જેવો એહસાસ કરે છે …..!!!”

ગોરખનાથ શિષ્યની આ દ્રઢતા જોઇને બહુજ ખુશ થયાં
પરંતુ એમનાં શિષ્યોના મનમાં ઈર્ષ્યા હતી !!!

શિષ્ય બોલ્યાં —” ગુરુજી આ બધું તો ઠીક છે પરંતુ હજી પરીક્ષા પૂરી નથી થઇ !!!”

ગોરખનાથજી રૂપ બદલીને ભર્તૃહરિને મળ્યાં અને બોલ્યાં
“જરા છાયાનો ઉપયોગ કરી લો !!!”

ભર્તૃહરિ બોલ્યાં — “નહીં મારાં ગુરૂ ની આજ્ઞા છે કે ખુલ્લા પગે મરુભૂમિમાં ચાલુ !!!!”

ગોરખનાથે વિચાર્યું —“સારું કેટલું ચાલી શકો છો એ જોઉં છું !!!”

થોડું આગળ ચાલીને ગોરખનાથે યોગબળથી રસ્તામાં કાંટા ઊભાં કરી દીધાં. એટલી બધી કાંટાળીઝાડી હતી કે ભર્તૃહરિનાં વસ્ત્રો ફાટી ગયાં. પગમાં શુળ ઘૂસી ગયાં છતાં પણ ભર્તૃહરિએ “આહ” સુધ્ધાં ના ભરી

ભર્તૃહરિ મનોમન બોલ્યાં —” આ બધુ તો સપનું છે ….. ગુરુજીએ જે આદેશ આપ્યો છે એજ સાચી તપસ્યા છે …….. આ પણ ગુરુજીની જ કૃપા છે !!!”

અંતિમ પરીક્ષા માટે ગુરુ ગોરખનાથજીએ પોતાનાં યોગબળથો પ્રબળ તાપ પેદા કર્યો. તરસના માર્યા ભર્તૃહરિના પ્રાણ કંઠે આવી ગયાં. તે સમયે, ગોરખનાથજીએ તેમના નજીક એક લીલુ વૃક્ષ ઉગાડ્યું, જેની નીચે પાણીથી ભરેલી સુરાહી અને સોનાની પ્યાલી હતી.

એકવાર તો ભર્તૃહરિએએ તરફ જોયું પછી તરત જ એમને ખ્યાલ આવ્યો કે ક્યાંક ગુરુજીની આજ્ઞાનો અનાદર તો નથી થઇ રહ્યો ને !!!!
એ આટલુ વિચારતાં જ હતાં ત્યાં સામેથી ગોરખનાથ આવતાં દેખાઈ પડયાં …….
ભર્તૃહરિએ દંડવત પ્રણામ કર્યાં !!!!

ગુરુજી બોલ્યાં —”શાબાશ ભર્તૃહરિ વરદાન માંગી લો …….. અષ્ટસિદ્ધિ આપી દઉં કે નવનિધિ આપી દઉં !!!
તમે તો સુંદર સુંદર વ્યંજનો પણ ઠુકરાવી દીધાં.
યુવતીઓ તમારો પગ દબાવવા તૈયાર હતી.
પણ તમે એમનાં ચક્કરમાં ના પડયાં.
તમારે જે માંગવું હોય એ માંગી લો.

ભર્તૃહરિ બોલ્યાં : “ગુરુજી આપ પ્રસન્ન છો એટલે મને બધું જ મળી ગયું
શિષ્ય માટે ગુરુની પ્રસન્નતા જ મહત્વની છે
આપ મારાથી સંતુષ્ટ થયાં એટેલે મારાં કરોડો પુણ્યકર્મ અને યજ્ઞ,તપ બધું જ સફળ થયું !!!!”

ગોરખનાથ બોલ્યા —” નહીં ભર્તૃહરિ અનાદર ના કરો. તમારે કશુંક તો લેવું જ પડશે …….કૈંક તો માંગવું જ પડશે !!!!”

એટલામાં રેતોમાં એક ચમકતી સોય નજરે પડી
એને ઉઠાવીને ભર્તૃહરિ બોલ્યાં —“કપડાં ફાટી ગયા છે સોયમાં આ દોરો પરોવી દો જેથી કરીને
હું એનાથી મને ચુભતો કાંટો કાઢી શકું અને મારાં ફાટેલાં કપડાં સીવી શકું !!!!

ગોરખનાથજી વધારે ખુશ થયાં કે — “હદ થઇ ગઈ આ માણસ કેટલો નિરપેક્ષ છે
અષ્ટસિદ્ધિ -નવનિધિઓ કંઈ જ જોઈતું નથી
મેં કહ્યું કે —કઈ પણ માંગી લો તો માંગે છે કે સોયમાં માત્ર દોરો પરોવી આપો
ગુરુનું વચન એને પાળ્યું છે બરોબર વગર કોઈ અપેક્ષાએ !!!!
ભર્તૃહરિ તમે ધન્ય થઇ ગયાં ………

ક્યાં ઉજ્જયિનીનો સમ્રાટ ખુલ્લાં પગે મરૂ ભૂમિમાં એક મહીનો પણ ના થવાં દીધો. સાત – આઠ દિવસમાં જ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ગયો !!!!”
વૈરાગ્ય બધાંને પ્રાપ્ત નથી થતું
અને સંસારની મોહમાયા છોડનાર કેટલાં !!!!
અને એ વૈરાગ્ય, નીતિ અને શ્રુંગાર પર શતકો તો માત્ર ભર્તૃહરિ જ લખી શકે..!
#અમરકથાઓ
——————————————————————

રાજા ભરથરી - ભર્તૃહરિ
રાજા ભરથરી – ભર્તૃહરિ

ફારસી ગ્રંથ કલિતૌ દિમન:માં પંચતંત્રનું એક પદ્ય શશિદિવાકર યોર્ગહપીડનાશનો એક ભાવ ઉદભવ થાય છે !!!!

પંચતંત્રમાં અનેક ગ્રંથોના પદ્યોનું સંકલન છે. કદાચ તે પંચતંત્રમાં નીતિશતકમાંથી ગ્રહણ કરવામાં આવ્યું હોય
ફારસી ગ્રંથો ઇસવીસન ૫૭૧થી ઇસવીસન ૫૮૧ માં એક ફારસી શાસકનું નિમિત્ત નિર્મિત થયું હતું.
તેથી રાજા ભર્તૂહરિ અનુમાનત: ઇસવીસન પૂર્વે ૫૫૦માં આપણી વચ્ચે આવ્યાં હશે !!! અમરકથાઓ

ભર્તૂહરિ ઉજ્જૈનીના રાજા હતા.
વિક્ર્માદિત્યનું બિરુદ હાંસલ કરનાર ચંદ્રગુપ્ત દ્વિતીયના મોટાં ભાઈ હતાં. તેમના પિતાનું નામ ચંદ્રસેન હતું.
પત્નીનું નામ પિંગલા હતું, જે તેને ખૂબ પ્રેમ કરતા હતા.
તેમણે એક સુંદર અને રસપૂર્ણ ભાષામાં નીતિ, વૈરાગ્ય તથા શ્રુંગાર જેવાં ગૂઢ વિચારો પર શતક લખ્યા હતાં
આ શતક સિવાય એમણે વાક્યદીપ નામનો એક ઉચ્ચ શ્રેણીનો વ્યાકરણ ગ્રંથ પણ લખ્યો હતો !!!!

કેટલાંક લોકો ભટ્ટીકાવ્યના રચયિતા ભટ્ટી જોડે પણ એમની એકત્વ સ્વીકારે છેએવું કહેવાય છે કે —–
નાથપંથના વૈરાગ્ય નામના ઉપગ્રંથનાં એ જ પ્રવર્તક હતાં
ચીની યાત્રી ઇસિંગ અને હ્યુએનસંગ અનુસાર એમને બૌદ્ધ ધર્મનું ગ્રહણ કર્યું હતું પરંતુ સુત્રો અનુસાર એ અદ્વૈત વેદાન્તાચાર્ય હતાં.

ચીની યાત્રી ઇસીંગના યાત્રા વિવરણથી એ જાણવા મળે છે કે ઈસ્વીસન ૬૫૧ માં ભર્તૂહરિ નામક એક વૈયાકરણનુ મૃત્યુ થયું હતું. આ પ્રકારે એમનો કાળ સાતમી શતાબ્દીનો પ્રતિત થાય છે. પરંતુ ભારતીય પુરાણોમાં એનાં સંંબંધમાંનો ઉલ્લેખ મળે છે કે ઇસિંગ દ્વારા વર્ણિત ભર્તૂહરિ એ કોઈ અન્ય હશે !!!
મહારાજ ભર્તૂહરિ નિ:સંદેહ વિક્રમસંવતની પહેલી સદીની પૂર્વે ઉપસ્થિત હતાં !!! એ ઉજ્જૈનના અધિપતિ હતાં. એમનાં પિતા મહારાજ ગાંધર્વસેન બહુજ યોગ્ય શાસક હતાં !!!

એમનાં બે લગ્ન થયાં હતાં. પહેલાં લગ્નથી મહારાજા ભર્તૂહરિ અને બીજાં લગ્નથી મહારાજ વિક્રમાદિત્ય જન્મ્યાં હતાં.
પિતાના મૃત્યુ પછી ભર્તૂહરિએ રાજયભાર સંભાળ્યો
પછી એમણે વિક્રમના હાથમાં શાસનકાળ સોંપીને તેઓ નિશ્ચિંત થઇ ગયાં !!!
એમનું જીવન કૈક વિલાસી થઇ ગયું હતું.
એ અસાધારણ કવિ અને રાજનીતિજ્ઞ હતાં.
એની સાથે તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતાં !!!
એમણે પોતાના પાંડિત્ય અને નીતિજ્ઞતાથી અને કાવ્યજ્ઞાનનો સદુપયોગ શૃંગાર અને નીતિપૂર્ણ રચનાથી સાહિત્ય સંવર્ધનમાં કર્યો. વિક્રમાદિત્યે એમની વિલાસી માંનોવીલાસી પ્રકૃતિ પ્રત્યે વિરોધ પ્રગટ કર્યો. દેશ એ સમયે વિદેશી આક્રમણોને કારણેભયભીત હતો !!!! પહેલાં તો રાજા ભર્તૂહરિએ પોતાનાં ભાઈ વિક્રમાદિત્યને રાજ્યમાંથી નિર્વાસિત કરી દીધો !!!!

પરંતુ સમય જ સૌથી શક્તિશાળી હોય છે
વિધાતાએ ભર્તૂહરિના ભાલને યોગ્ય લીપી લખી હતી !!!
એક દિવસ જ્યારે એમને પૂર્ણરૂપે ખબર પડી કે રાણી પિંગલાને એ પોતાના પ્રાણથી પણ વધારે પ્રેમ કરતાં હતાં. એ એનાં કોટવાલના પ્રેમમાં ડૂબેલી છે તો એમને વૈરાગ્ય આવી ગયું અને પોતાનાં વૈભવનો ત્યાગ કરીને એજ ક્ષણે રાજમહેલ માથી બહાર નીકળી ગયાં.

વૈરાગ્ય દર્શન —–
આ સંસારનો માયામોહ ત્યાગીને ભર્તૂહરિ વૈરાગી થઇ ગયાં અને રાજપાટ છોડીને ગુરુ ગોરખનાથની શરણમાં જતાં રહ્યાં. એના પછી જ એમણે વૈરાગ્ય પર ૧૦૦ શ્લોકો લખ્યાં
જે વૈરાગ્ય શતકના નામે પ્રસિદ્ધ છે !!!
એની પહેલાં પોતાના શાસનકાળ દરમિયાન એમણે શ્રુંગાર શતક અને નીતિ શતક નામનાં બે સંસ્કૃત કાવ્યો લખ્યાં હતાં

એમાં વાાચકો એ જાણી લે કે આ ત્રણે શતકો આજે પણ ઉપલબ્ધ છે અને વાંચવાલાયક છે !!!!
એમને વિશ્વાસ થઇ ગયો કે વિષય-ભોગમાં રોગનો ભય હોય છે
ધનમાં રાજ્યનો અને શાસ્ત્રમાં વિવાદનો
ગુણમાં દુર્જનનો
અને
શરીરમાં મૃત્યુનો ભય હોય છે !!!!
સંસારની બધી વસ્તુઓ ભયાવહ હોય છે ……
કેવળ વૈરાગ્ય જ શેષ્ઠ અને અમર અભય હોય છે
ત્યારે એમનાં શ્રુંગાર અને નીતિપર્ક જીવનમાં વૈરાગ્યનો સમાવેશ થઇ ગયો

એમનાં અધરો પર શિવજીના નામનો વાસ થઇ ગયો …..
તૃષ્ણા અને વાસનાએ ત્યાગ અને તપસ્યાની ચરમ વિશેષતા સિદ્ધ કરી !!!!
એમને પોતાના આત્મામાં પરમાત્માની પ્રાપ્તિ થઇ
બ્રહ્માનુભૂતિ પણ થઈ અને એને જ કારણે એમણે વેદાંતના સત્યનું વરણ કર્યું !!!
એમણેપોતાની જાતને જ ધિક્કારી કે આજ સુધી પ્રેમ વાસના અને વિધાયોએ આપણને જ ભોગી નાંખ્યા છે. આપણે તપ નથી કર્યું …… તપોએજ આપણને તપાવી દીધાં છે

કાલનો અંત નથી થયો ………એથી ઉલટું કાલે જ આપણો અંત કરી દીધો છે. આપણે જીર્ણ થઇ થઇ ગયાં છીએ પણ તૃષ્ણાનો અભાવ નથી થયો !!!
એમનું જીવન સાધનામય અને જ્ઞાનપૂર્ણ બની ગયું
એમણે શિવતત્વની પ્રાપ્તિ કરી
જ્ઞાનોદયને શિવના રૂપમાં એમને શાંતિના અધિકારી બનાવ્યાં
આઘાત – પ્રતિઘાતથી દૂર રહીને એમણે બ્રહ્મનાં શીવરુપની સાધના કરી !!!
એમણે દસે દિશાઓ અને ત્રણે કાલોમાં પરિપૂર્ણ , અંનત ચૈતન્ય સ્વરૂપ અનુભવગમ્ય , શાંત અને તેજોમય બ્રહ્મની ઉપાસના કરી !!!
વિરક્તિ જ એક માત્ર એમની સંગીની બની ગઈ !!!
મહાદેવ જ એમનાં એકમાત્ર દેવ હતાં ……..
એ ભક્તિની ભાગીરથીમાં ડૂબકી મારવાં લાગ્યાં !!!!

વાસ્તવમાં આજ સંસારની વાસ્તવિકતા છે
એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે અને એ ઈચ્છે છે કે બીજી વ્યક્તિ પણ એને પ્રેમ કરે
પરંતુ વિડંબણા એ છે કે ——
બીજી વ્યક્તિ કોઈક ત્રીજાને પ્રેમ કરતી હોય છે
આનું કારણ એ છે કે સંસાર અને એનાં બધાં જ પ્રાણીઓ અપૂર્ણ છે
બધામાં કોઈની કોઈ ખામીઓ છે
માત્ર એક ઈશ્વર જ પૂર્ણ છે
એજ માત્ર એક એવા છે કે
જે દરેક જીવને એટલોજ પ્રેમ કરે છે
જેટલો દરેક જીવ એમને કરે છે !!!
એટલાં જ માટે આપણે પ્રેમ ઈશ્વરને જ કરવો જોઈએ
સારાં સમયનાં એમનાં આ વિચારો રાજા ભર્તૂહરિને ગુરુ ગોરખનાથ પાસે લઇ ગયા !!!!

યોગીરાજ ભર્તૂહરિનું નામ અમરફળ ખાધાં વગર જ અમર થઇ ગયું. એમનું હર્દય પરિવર્તન જ આ બાબતનું જ્વલંત પ્રતિક છે એ ત્યાગ, વૈરાગ્ય અને તપના પ્રતિનિધિ હતાં !!! હિમાલયથી કન્યાકુમારી સુધી એમની રચનાઓ, જીવનગાથાઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં યોગીઓ અને વૈરાગીઓ દ્વારા અનિશ્ચિત કાલથી ગવાઈ રહી છે અને ભવિષ્યમાં પણ ઘણાં સમય સુધી આ કામ ચાલતું જ રહેવાનું છે !!!!

અંતિમ સમય ———
રાજા ભર્તૂહરિનો અંતિમ સમય રાજસ્થાનમાં વીત્યો.
એમની સમાધિ અલવાર રાજ્યના એક સઘન જંગલમાં આજે પણ વિદ્યમાન છે. એમનાં સાતમા દરવાજા પર અખંડ દીપકજલતો હોય છે !!!! એને ભર્તૂહરિની જ્યોત કહેવામાં આવે છે !!!! ભર્તૂહરિ મહાન શિવ ભક્ત અને યોગી હતાં
અને પોતાનાં ભાઈ વિક્રમાદિત્યને પુન; સ્થાપિત કરીને અમર થઇ ગયાં. વિક્રમાદિત્ય એમનાં જેવાં જ ચક્રવર્તિ નીકળ્યાં અને એમનાં સુશાસનકાલમાં વિક્રમ સંવતની સ્થાપન થઇ.
જેનો શુભારંભ આજે પણ ચૈત્રમાસની નવરાત્રીથી થાય છે

રાજા ભર્તૂહરિ સદાય માટે પોતાના વૈરાગ્યભાવથી બ્રહ્મસ્વરૂપ દુનિયામાં પોતાની કાવ્યકૃતિઓની રચનાઓ દ્વારા અમર થઇ ગયાં !!!
આ સંદર્ભમાં કૃષ્ણ ભગવાને પોતાનાં પ્રિયપાત્રની વ્યાખ્યા કરતાં ગીતામાં કહ્યું છે કે ——-
” જે પુરુષ આકાંક્ષા રહિત ,અંદરથી – બહારથી શુદ્ધ ,દક્ષ , પક્ષપાત રહિત અને દુખોથી મુક્ત હોય છે. બધી આસક્તિઓને જે ત્યાગી શકે એવી જ વ્યક્તિ મારો ભક્ત છે અને તે જ મને પ્રિય છે !!!!”

કાવ્ય રચના ——-
પોતાના જીવનકાળમાં એમણે શ્રુંગાર , નીતિ શાસ્ત્રોની રચના કરી હતી. હવે એમણે વૈરાગ્ય શતકની પણ રચના કરી નાંખી અને વિષયવાસનાની કડક આલોચના કરી.
આ ત્રણ કાવ્ય શતકો સિવાય એમણે વ્યાકરણ શાસ્ત્રનો અતિ પ્રસિદ્ધ ગ્રંથ વાક્યદીપ પણ એમનાં મહાન પાંડિત્યના પરિચાયકછે !!!! અમરકથાઓ

આ શબ્દશાસ્ત્ર બ્રહ્માનુ સાક્ષાતરૂપ છે !!!!
એ શિવભક્ત હોવાં ઉપરાંત બ્રહ્મરૂપી શબ્દભક્ત પણ હતાં !!!! શબ્દ બ્રહ્મનો જ અર્થરૂપ નાનાત્મક જગત-વિવર્ત છે !!!
યોગીજન શબ્દબ્રહ્મથી તાદાત્મ્ય થઇ જવાને જ મોક્ષ માને છે !!!!
ભર્તૂહરિ શબ્દબ્રહ્મના યોગી હતાં …….
એમનું વૌરાગ્ય દર્શન પરમાત્માના સાક્ષાત્કારનો પર્યાય છે !!!!

આજ સાચું કારણ છે કે આજે પણ શબ્દોની દુનિયાના રચનાકાર સદા માટે અમર થઇ જાય છે !!!!!
ભર્તૂહરિ એક મહાન સંસ્કૃત કવિ હતાં ………
સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભર્તૂહરિ એક નીતીકારના રૂપમાં પ્રસિદ્ધ છે !!!!!

એમનાં શતકત્રય ( નીતિશતક , શ્રુંગાર શતક, વૈરાગ્ય શતક )ની ઉપદેશાત્મક વાર્તાઓ ભારતીય જનમાનસને વિશેષરૂપે પ્રભાવિત કરે છે !!!!
પ્રત્યેક શતકમાં ૧૦૦ -૧૦૦ શ્લોક છે !!!!
પછીથી એમને ગોરખનાથના શિષ્ય બનીને વૈરાગ્ય ધારણ કરી લીધું હતું. એટલાંજ માટે એમનું એક લોક પ્રચલિત નામ બાબા ગોપીચંદ ભરથરી પણ છે !!!!
ભર્તૂહરિ સંસ્કૃત મુલ્તક પરંપરાનાઅગ્રણી કવિ છે
આ ત્રણે શતકોને કારણે એ એક ઉત્તમકવી ગણાય છે
એમની ભાષા સરળ,મનોરમ, મધુર અને પ્રવાહમયી છે
ભાવાભિવ્યક્તિ એટલી સશક્ત છે કે હૃદય અને મન એ બન્નેને પ્રભાવિત કરે છે

વહાવ અને વિષયને અનુકુળ છંદનો પ્રયોગ
વિષયને અનુરૂપ ઉદાહરણ આદિ એમની સુક્તિઓ જન -જનમાં પ્રચલિત રહી છે અને સમય -સમય પર જીવનમાં માર્ગદર્શન અને પ્રેરણા આપતી રહી છે !!!!!
ભર્તૂહરિ નું મંદિર / સ્મારક
રાજસ્થાનના અલવરમાં ભર્તૂહરિનું મંદિર છે
એને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે. આ અલવર શહેરથી ૩૨ કિલોમીટર દૂર જયપુર-અલવર માર્ગ પર સ્થિત છે !!!!
અહિયા ભાદ્રપદનાં શુક્લ પક્ષની સપ્તમી અને અષ્ટમી એ મેળો ભરાય છે નાથપંથની અલખ જગાવનાર કાનફાડુનાથ સાધુઓ માટે આ તીર્થની વીશેશ માન્યતા છે. આજે પણ અલવર રાજસ્થાનમાં ભર્તૂહરિની ગુફા અને ગોપીચંદ-ભરથરીની ગુફા પ્રસિદ્ધ છે

આ પણ વાંચો 👇

વિક્રમ વેતાલની વાર્તા ભાગ ૧ થી

રામાયણ – મહાભારત વિશે જાણવા જેવુ.


3 thoughts on “રાજા ભરથરી (ભર્તૃહરિ) ની સંપુર્ણ જીવનકથા”

  1. Pingback: શેણી વિજાણંદ ની વાર્તા | sheni vijanand history - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *