Skip to content

Bermuda triangle mystery in Gujarati (બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય)

Bermuda triangle
5423 Views

Bermuda triangle નું એ રહસ્ય જે હજી સુધી કોઇ ઉકેલી શક્યુ નથી. બર્મુડા ટ્રાયેન્ગલ ક્યાં આવેલો છે ?, શુ રહસ્ય છે બર્મુડા ટ્રાયેન્ગલ નુ ?, બર્મુડા ત્રિકોણ પુસ્તક, bermuda trikon ka rahasya, Bermuda Triangle in Hindi, Bermuda Triangle kya hai, बरमूडा ट्रायंगल map, बरमूडा ट्रायंगल History, बरमूडा ट्रायंगल कहां है, बरमूडा ट्रायंगल photos, बरमूडा त्रिकोण आज तक कितने जहाजों को निगल चुका है?

Bermuda triangle (બર્મુડા ત્રિકોણ) એક એવી રહસ્યમય જગ્યા જ્યા પહોચીને અનેક જહાજો અને વિમાનો થઇ ગયા છે ગાયબ. ક્યા ગયા ? શુ થયુ ? આજ સુધી વૈજ્ઞાનિકો માટે બન્યો છે માથાનો દુખાવો. તો આજે AMARKATHAO માં જાણીએ શુ છે આ Bermuda triangle mystery,

ક્યાં આવેલો છે Barmuda Triangle ?

Bermuda
Bermuda triangle map

પોતાના સમુદ્રી તોફાનો , ઝંઝાવાતો માટે આટલાન્ટિક મહાસાગર વિખ્યાત છે. આ મહાસાગરમાં એક ત્રિકોણાત્મક જળ વિસ્તાર છે જેનું નામ Barmuda Triangle ( બર્મુડા ટ્રાયેન્ગલ ) છે. આ જળ વિસ્તાર ભારે રહસ્યમય છે. અમેરિકન અને રશિયન જળવિજ્ઞાન અને સમુદ્રવિજ્ઞાન શાસ્ત્રીઓ પણ આ Barmuda Triangle નું રહસ્ય હજુ શોધી શક્યા નથી. આ એક એક એવો સમુદ્રીય જળ વિસ્તાર છે , જેની એક તરફ ફ્લોરિડા આવેલ છે, બીજી તરફ બર્મુડા છે અને ત્રીજી તરફ પ્યુટ્રોરિકો આવેલ છે.

અમેરિકા, યુરોપ અને કેરેબિયન ટાપુઓના બંદરો સાથે તે વિશ્વના સૌથી મોટા જહાજ લેન વિસ્તારો પૈકીનું એક છે, અને તેમાંથી દરરોજ ઘણા જહાજો પસાર થાય છે, ઘણા ક્રુઝ જહાજો અને ફ્લોરિડા અને ટાપુઓ વચ્ચે નિયમિત મનોરંજન થાય છે. વાહનો પણ અવરજવર કરે છે. . તે ઉત્તરીય બિંદુઓથી ફ્લોરિડા, કેરેબિયન અને દક્ષિણ અમેરિકા સુધીની વાણિજ્યિક અને ખાનગી ફ્લાઇટ્સ માટે પણ ખૂબ જ વ્યસ્ત માર્ગ છે.

મહાસાગરનો અખાત પ્રવાહ મેક્સિકોના અખાત પછી ત્રિકોણમાં વહે છે, તે કેટલીક લુપ્તતાની ઘટનાઓમાં પાંચથી છ ચાટની ભૂમિકા પણ ભજવી શકે છે. ઉનાળામાં આ વિસ્તારમાં અચાનક તોફાન અને વાવાઝોડું આવી શકે છે. ભારે દરિયાઈ ટ્રાફિક અને તોફાની હવામાન એવી પરિસ્થિતિઓને અનિવાર્ય બનાવે છે કે જહાજો કોઈ નિશાન વિના તોફાનમાં ખોવાઈ જાય – ખાસ કરીને 20મી સદી પહેલા જ્યારે અદ્યતન ટેલિકોમ્યુનિકેશન, રડાર અને સેટેલાઇટ ટેકનોલોજી ઉપલબ્ધ ન હતી.

એવુ શુ રહસ્ય છે Barmuda Triangle માં ?

Bermuda triangle mystery
Bermuda triangle mystery

આ જળ વિસ્તારમાંથી પસાર થતા સેંકડો જહાજો અને આ જળ વિસ્તારને માથેથી ઉડતા સેંકડો પ્લેનો ગાયબ થઈ ચૂક્યા છે, અથવા નાશ પામ્યા છે અને હજારો માણસોના જાન ગયા છે. શરૂઆતમાં જ્યારે બે – ચાર જહાજો વિચિત્ર સંજોગોમાં અદ્રશ્ય થઈ ગયા ત્યારે કોઈએ ખાસ લક્ષ્ય આપ્યું નહીં, એને અકસ્માતો સમજી લેવામાં આવ્યા, પણ જ્યારે આ સિલસિલો સતત ચાલુ રહ્યો ત્યારે દુનિયાની આંખ ઉઘડી ગઈ અને આ રહસ્યને પામવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. પણ હજી સુધી કોઇ 100% પરિણામ મળ્યુ નથી તેથી જ તેને Bermuda triangle mystery કહેવામાં આવે છે.

અકસ્માત બનતો નથી. કોઈને કોઈ સંજોગો , કારણો કે ઘટનાઓ પછી એ માનવીય હોય કે કુદરતી એ દ્વારા જ અકસ્માતો થાય છે. આ ત્રિકોણીય જળ વિસ્તાર વિષે અનેક કલ્પનાઓ થઈ ચૂકી છે, ઘણાં સિદ્ધાંતો પણ રજુ થયા છે પણ સત્યને પ્રકાશમાં લાવવા એ તમામ વિફળ રહેલ છે.

Barmuda Triangle માં બનેલી મુખ્ય ઘટનાઓ

બર્મુડા ટ્રાયેન્ગલની દુર્ઘટનાઓ પ્રાચીન નથી , અર્વાચીન જ છે . આ જળ વિસ્તારની સૌથી મોટી દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે આ ક્ષેત્રમાંથી પાંચ ટૉરપીડો બૉમ્બર યાનો પસાર થઈ રહ્યા ત્યારે આ યાનોના ચાલકો અનુભવી અને કુશળ હતા. 1945 નવેમ્બર માસની પાંચમી તારીખે જ્યારે બૉમ્બર આ જળ વિસ્તાર પર આવ્યું ત્યારે એનો ચાલક ફોર્ટ લાડરડેલ માત્ર એટલું જ રૅડિયો સંપર્ક દ્વારા કહી શક્યો કે , “હું નથી જાણતો કે પશ્ચિમ દિશા કઈ ત૨ફ છે અને અહીં નીચે સાગર મને વિચિત્ર, રહસ્યમય દેખાય છે. મારે અત્યારે નિશ્ચિત સ્થાને પહોંચવા માટે ઉત્તર પશ્ચિમે હોવું જોઈએ પણ દિશામાન મળતું નથી અને ….

અને રૅડિયો સંપર્ક તૂટી ગયો અને સ્તબ્ધતા છવાઈ ગઈ. આ દુર્ઘટના પછી આ પાંચ બૉમ્બર્સને શોધી કાઢવા માટે ‘ મૅરિનર ફ્લાઈંગ ‘ નામની સ્ટીમરને રવાના ક૨વામાં આવી , પણ ‘ મૅરિનર ફ્લાઈંગ ‘ આ જળ વિસ્તારમાં પ્રવેશતાં જ અદૃશ્ય બની ગઈ. વિશ્વભરમાં હાહાકાર મચી ગયો. એ પછી ‘ Argosy ’ નામના સાપ્તાહિકમાં વિન્સેન્ટ ગેડિડસનો એક આર્ટિકલ છપાયો, જેણે વધારે દેકારો મચાવ્યો.

Bermuda triangle વિશે લેખકોના જણાવ્યા મુજબ, Bermuda triangle વિશે અદ્ભુત કંઈક દસ્તાવેજીકૃત કરનાર પ્રથમ વ્યક્તિ ક્રિસ્ટોફર કોલંબસ હતો, જેણે અહેવાલ આપ્યો કે તેણે અને તેના ક્રૂ મેમ્બરોએ “ક્ષિતિજ પર એક અદ્ભુત પ્રકાશ ” જોયો, અને તેની નોંધ બુકમાં નોંધી લીધુ. પરંતુ તેણે લખ્યું, આકાશમાં જ્વાળાઓ હતી અને તેની લોગ બુકમાં બીજી જગ્યાએ તેણે ક્ષેત્રમાં હોકાયંત્રની વાહિયાત દિશાની સ્થિતિ વિશે પણ લખ્યું. 11 ઓક્ટોબર 1492ની તેમની લોગ બુકમાંથી તેમણે લખ્યું

આ જમીન પર અદ્ભુત પ્રકાશ નાવિક (રોડ્રિગો ડી ટ્રિઆના) દ્વારા જોવામાં આવ્યો હતો, જોકે સાંજે દસ વાગ્યે એડમિરલે ક્વાર્ટર ડેક પર પ્રકાશ જોયો હતો, પરંતુ તે એટલો પ્રકાશ હતો કે તે સમજી શક્યો ન હતો, તેણે પિરો ગુટેરેઝને કહ્યું. તેણે તેને કહ્યું કે તેણે એક પ્રકાશ જોયો છે અને તેણે બે વાર ત્યાં ફરી જોયું, મીણબત્તીના પ્રકાશ જેવું કંઈક ઉપર અને નીચે ફરતું જોયું, જે કેટલાકને જમીનની નિશાની લાગતી હતી. એડમિરલે ખાતરી હતી કે જમીન નજીક છે.

Bermuda triangle mystery વિશે વૈજ્ઞાનિકો, લેખકો અને વિદ્વાનોની માન્યતાઓ

Bermuda triangle mystery book
Bermuda triangle mystery book

મૂળ નોંધપોથીની તપાસ કરતા આધુનિક વિદ્વાનોએ અનુમાન કર્યું કે તેઓએ જે પ્રકાશ જોયો તે ત્યાંના રહેવાસીઓ દ્વારા તેમના રસોડામાં કે નાવડીઓમાં પ્રગટાવવામાં આવેલી આગને કારણે થયો હતો.

કેટલાક ખગોળવિદોનું માનવું છે કે , આ જળ વિસ્તારમાં વધારે ગુરુત્વાકર્ષણના કારણે અને Magnetic deviahation ( ચુંબકીય વિસ્થાપન ) ના કારણે ત્યાં પહોંચેલા જહાજો કે વાયુયાનોના રૅડિયો સિગ્નલો કામ કરતા નથી. એક એવી પણ દંતકથા છે કે , આટલાંટિક મહાસાગરમાં રહસ્યમય રીતે જળમગ્ન બની ચૂકેલ આટલાંટિક સભ્યતાના મશીનો , યંત્રો અને ઓજારો , જળની નીચે કંઇક ગડબડ કરે છે , જેની અસર આ જળ વિસ્તાર પર પડે છે . એક વ્યંગાત્મક એવી પણ દંતકથા છે કે અંતરિક્ષ માનવો દ્વારા આ ક્ષેત્ર પરથી પસાર થતા જહાજો કાળનો કોળિયો બની જાય છે .

રહસ્યકથાઓનાં પ્રખ્યાત લેખક સેન્ડસનને વિન્સેન્ટનો લેખ ભારે ઉપયોગી થઈ પડ્યો અને એણે કથા સાહિત્ય દ્વારા વિન્સેન્ટની વાતને પ્રતિપાદિત કરી કે , બર્મુડા ટ્રાયેન્ગલ એક ધાતક , ભયાનક , વિધ્વંસકારી અને રહસ્યમય જળવિસ્તાર છે.

ઈ.સ. 1973 માં ‘ એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકાએ Barmuda Triangle પોતાનામાં સમાવી લીધો અને ત્યારે ચર્ચાઓનો વંટોળ ચગ્યો. વિખ્યાત લેખક જોન વેલેસ સ્પેન્સરે ‘Limbo of the Lost ‘ નામની નવલકથા આ સંદર્ભે લખી અને એ કરોડપતિ બની ગયો. એ પછી 1974 માં ‘Charls Barlitz’ ( ચાર્લ્સ બર્લિટ્ઝ ) નામના કથાકારે ‘ The Barmuda Triangle ‘ નામની નવલકથા લખી જેની કરોડો નકલો વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત થઇ ખપી ગઇ. એ પછી લૉરેન્શ ક્રુશ્ચે નામના લેખકે નવલકથા લખી, નામ “ The Barmuda Triangle Mistry Solves ‘ અર્થાત્ “ બર્મુડા ટ્રાયેન્ગલનું રહસ્ય ઉકેલાયું. આ કથામાં ક્રુશ્ચેએ એવો નિષ્કર્ષ આપ્યો છે કે , આ જળીય ત્રિકોણીય ક્ષેત્ર પરથી શું ખરેખર યાનો ગાયબ થયા હતા કે પછી નિર્ધારિત સ્થાને પહોંચ્યા હતા. આવા યાનો ગુમ થયા જ ન હતા. જે તર્કો છે એ વ્યર્થ છે, કલ્પનાઓ છે.

લેખકે એવી સાબિતીઓ પણ આપી કે, Barmuda Triangle પર જેટલી દુર્ઘટના બની એનાથી વધારે અમુક ચોક્કસ જળ વિસ્તારોમાં બનેલી જ છે. તો પછી શા માટે આ જળ વિસ્તારને વગોવવામાં આવે છે ? 250 થી 40 ° ઉત્તર અક્ષાંશ અને 55 અંશથી 80 અંશ પશ્ચિમ દેશાંતર રેખાઓની વચ્ચે આવેલ બર્મુડા ત્રિકોણીય જળ વિસ્તાર 3900000 સ્કવેર કિલો મીટર ક્ષેત્રફળ ધરાવે છે. અમેરિકન અને રશિયન સમુદ્ર વિજ્ઞાન શાસ્ત્રીઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે , આ જળ વિસ્તારમાં સમુદ્રીય ઘુમરાવો અવશ્ય છે, પણ કોઈ રહસ્યમય શક્તિ નથી.

ભલે Barmuda Triangle mystery જે હોય તે મનુષ્ય કાયમ રહસ્યોનો ચાહક રહ્યો છે. અને તેનો ભેદ પામવા મથે છે. પણ આ વિશ્વમાં એવા કેટલાય રહસ્યો છે જેનો કોઇ તાગ મેળવી શકાયો નથી.

बरमूडा त्रिकोण आज तक कितने जहाजों को निगल चुका है?

बरमूडा ट्रायंगल में समा चुके पानी के जहाज और हवाई जहाजों की बारे में पुष्‍ट तौर पर तो कोई आंकड़ा नहीं है, लेकिन ऐसा माना जाता है कि अब तक 2000 जहाज और 75 एयरक्राफ्ट इस शैतानी ट्रायंगल में समा चुके हैं.

बरमूडा ट्रायंगल कितना बड़ा है?

बरमूडा उत्तरी अटलांटिक महासागर में स्थित और 53.2 km2 क्षेत्रफल में फैला एक ब्रिटिश द्वीप क्षेत्र है जो अपने गुलाबी-रेत समुद्र तटों जैसे एल्बो बीच और हॉर्सशू बे के लिए जाना जाता है।

बरमूडा पर किसका अधिकार है?

बरमूडा उत्तर अटलांटिक महासागर में स्थित ब्रिटेन का प्रवासी क्षेत्र है। यह संयुक्त राज्य अमेरिका के पूर्वी तट पर मियामी (फ्लोरिडा) से महज 1770 किमी और हैलिफ़ैक्स, नोवा स्कोटिया, (कनाडा) के दक्षिण में 1350 किलोमीटर (840 मील) की दूरी पर स्थित है। यह सबसे पुराना और सबसे अधिक जनसंख्या वाला ब्रिटेन का प्रवासी क्षेत्र है।

👉 વિશ્વનાં અજબ ગજબ પશુ પક્ષીઓ – worlds amzing animals and birds

🔹 એક રહસ્યમય ટાપુ ઇસ્ટર દ્વિપ

🔹 સોનાની ધરતીનું રહસ્ય – શું ક્યાંય આવેલી છે સોનાની ધરતી ?

Post અહીથી share કરી શકશો 👇👇

✍ Amarkathao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *