Skip to content

દિવાસો એટલે શુ ? સો દિવસનાં તહેવારની શરુઆત એટલે દિવાસો ક્લીક કરીને વાંચો.

દિવાસો એટલે શુ ? સો દિવસનાં તહેવારની શરુઆત એટલે દિવાસો
6437 Views

દિવાસો એટલે શુ ? દિવાસો ક્યારે છે ?, દિવાસો 2022 સો દિવસનાં તહેવારની શરુઆત એટલે દિવાસો અષાઢી અમાસથી દિવાસા પર્વની શરુઆત થાય છે. જાણો તેનુ મહત્વ શુ છે? દિવાસા તરીકે કેમ ઓળખાય છે. દિવાસાનાં બિજા દિવસથી જ શ્રાવણ મહિનાની શરુઆત થાય છે.

દિવાસો

દિવાસો : શ્રાવણિયા તહેવાર નો શુભારંભ….

દિવાસો આવે એટલે કહેવાય કે બસ હવે તો દિવાળીને સો દા’ડા. નાનપણમાં દિવાસો અને દિવાળીનું ક્નેક્શન ક્યારેય મને સમજાતું જ નહીં, પરંતુ બા જીવતાં હતાં ત્યારે દર વર્ષે દિવાસાને દિવસે બા ના મુખે આ વાક્ય તો અચૂક સાંભળવા મળતું, ધીરે ધીરે તો એ વાક્ય સાંભળવાની આદત પડી ગયેલી. દિવાસો આવે એટલે એવું લાગે કે જાણે હમણાં બા બોલશે ને દિવાળી પણ આવી જશે… અને દિવાળી એટલે રજા અને મજા.

પ્રશ્નો પૂછવા જેવડી સમજણ આવી ત્યારથી મમ્મી ને પૂછતો ,’ મમ્મીલ, કે’ને આ દિવાસાના દિવસથી દિવાળીને સો દિવસ કેમ? ’ મમ્મી સમજાવતા કે’તી કે હવે ત્રણ મહિનામાં દિવાળી આવી પહોંચવાની, એટલે તરત કેલેન્ડર લઇને સો દિવસ ગણવા બેસી જાઉં. દિવાળી સુધી પહોંચતા કેલેન્ડર ના દિવસો ૧૦૦ ની આસપાસના રહેતાં

એટલે વળી પાછું મારું બાળમાનસ મૂંઝાતું કે સો દિવસ તો થતાં નથી?! એટલે મૂંઝાઇને ફરી પાછો મમ્મી ને એકનો એક સવાલ કર્યા કરતો… મારી મમ્મી જરાય કંટાળ્યા વિના વાંસો પસવારતાં પસવારતાં મને દિવાસાનું મહત્વ, જુદી જુદી જગ્યાએ દિવાસો કેવી રીતે ઊજવાય છે તેની રસપ્રદ માહિતી આપીને સમજાવતી રહેતી, એ વખતે ખબર નહોતી કે મમ્મી એ આપેલી માહિતી આ રીતે ઉપયોગી થઈ પડશે.

ધીરે ધીરે મોટા થયા એટલે ખબર પડી કે વડિલ વ્યક્તિઓનું આ ગણિત હતું. દિવાસાના બીજા દિવસથી શરૂ થતો શ્રાવણ પછી ભાદરવો અને આસોમાં દિવાળી. મમ્મી અને તેમના જેવા બીજા અન્ય અને વૃદ્ધજનોનું એ પાકું ગણિત હતું. ભલે દિવાળીને પૂરા ૧૦૦ દિવસ બાકી ન રહેતાં હોય, પરંતુ આશરે તેમની ગણતરી સો દિવસની ઘણી નજીક રહેતી હતી. આજે પણ દિવાસો આવતાં આ બાબતો ચોક્કસ સાંભળી આવતી હોય છે.

દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં અમારા જેવા ખેડૂત પરિવારમાં દિવાસાનું વિશેષ મહત્વ હતું અને આજે પણ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.

એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે, અમે ચરોતર માં બેસનના તીખા પૂડા તો ક્યાંક માલપૂઆ કે માલપૂડા બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.

દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.

દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા – અર્ચના કરે છે.

અહીં દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને તો દિવાસો એટલે એય ને સૌથી મોટી ઉજાણી, અમારી ઔધોગિક નગરી વાપી માં પણ આજે સ્થાનિક મેળો ભરાય છે જ્યાં ચગડોળ જેવા રાઇડસ તો નથી હોતા પણ મેળા ની મજા તો નાના-મોટા સૌના પીપૂડા ના સૂર માં વરતાય જ.

દિવાસો ક્યારે ઉજવાય છે ?

દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે.

દિવાસો શબ્દની સંધિ છૂટી પાડવા જઇએ તો, દિ + વાસો (વાસ) એમ થાય છે. દિવાસાનો તહેવાર, તે દિવસ પછી આવનાર તહેવારોના દિવસોના વાસ (ઘર) તરીકે ઉજવવામાં આવે છે.

દિવાસાના બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે આખો મહિનો પવિત્ર છે. ત્યાર પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય/શ્રાદ્ધ આવે છે. ત્યાર પછી આવતા આસો માસ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે. કારતકની શરૂઆતના પંદર દિવસ ચાતુર્માસના છેલ્લા દિવસો હોય છે. આમ, દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવાર રૂપ હોવાથી, દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે.

દિવાસો status
દિવાસો જાગરણ status

દિવાસા ની ઉજવણી

ગુજરાતમાં આ તહેવારની ઉજવણી થતી જોવા મળે છે. ગુજરાતી પ્રજા આ તહેવારની ધામધુમથી ઉજવણી કરતી નથી, પરંતુ મોટે ભાગે આ દિવસે ઘરે દૂધપાક કે ખીર બનાવીને ખાવાની પ્રથા છે. દક્ષિણ ગુજરાતના લોકો આ દિવસે માલપુડા બનાવીને ખાય છે. અને આવનારા તહેવારો ની ખુશી મા એક રમત તરીકે નાળિયેર ફોડી ને શુભ સરુઆત કરતા હોય છે.

દિવાસા ઉપરાંત આ દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રતો પણ થાય છે. જેમાં પરિણીતાઓ એવરત અને મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. વ્રતધારી બહેનો દ્વારા આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ૧૨ કલાક સુધીનું જાગરણ કરવામાં આવશે. શનિવારથી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. વ્રતની ઉજવણી સાથે તહેવારોની હારમાળા શરૂ થવાની હોય, જેને લઈ ગોહિલવાડવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દશા માઁના 10 દિવસીય વ્રતનો આરંભ થશે

દુઃખ હરનારા દશા માઁના ૧૦ દિવસીય ઉત્સવનો ગુરૂવાર અને શુક્રવારથી આરંભ થશે. ઘણાં બહેનો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશા માઁના વ્રતની ઉજવણીનો પ્રારંભ કરતા હોય છે. વ્રતના પ્રારંભે દશા માતાજીની મૂર્તિની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ સ્થાપન કરી દસ દિવસ દરમિયાન દશા માતાજીની પૂજા-અર્ચના, થાળ, મહાપ્રસાદ, ગરબા-આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી વ્રતની પુર્ણાહૂતિ બાદ દશા માતાજીની મૂર્તિને દરિયા દેવામાં પધરાવવામાં આવશે.

==============================

દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. ગુરુવારે દિવાસો અને ત્યારબાદ શુક્રવાર થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. ૨૦૨૨

આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.

એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.

જોકે, દિવાસાથી દિવાળી સુધી તહેવારોની મોસમ જામશે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્ત્વ એટલા માટે વધુ છે, કેમકે, સામાન્ય રીતે કોઇપણ વ્રતનું જાગરણ ૨૪ કલાક સુધી માટેનું હોય છે, પરંતુ એકમાત્ર દિવાસાના વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે, એટલે દિવાસાનું વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવી પડે છે. આ ઉપરાંત સોમવારે શ્રાવણ મહિનાની શરૃઆત સાથે દશામાના વ્રતનો પણ આરંભ થઇ રહ્યો છે. ત્યારે ભક્તો દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે ૧૦ દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભક્તિ કરશે.

આમ તો દેવસૂતી અગિયારથી વિવિધ તહેવાનો આરંભ થઇ જાય છે. દેવસૂતી અગિયારથી દેવઊઠી અગિયાર એટલે કે, ચાર મહિના સુધી એક પછી એક તહેવારની હારમાળા સર્જાય છે, તેમાં પણ દિવાસાના બીજા દિવસથી શ્રાવણ અને ત્યારબાદ નાગ પંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન અને જન્માષ્ટી સહિતના તહેવારો આવતા રહે છે, ત્યારે આગામી રવિવારે દિવાસો છે. આ દિવાસાની દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત કરવાની પરંપરા છે. દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે કરવામાં આવે છે.

જેમાં જયાપાર્વતીના વ્રત મુજબ જ જવારાની વાવણી કરાઇ છે. તેમજ કુંવારી અથવા નવપરિણીતા એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બન્ને વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે કરાય છે, પરંતુ કુંવારિકાઓ સારા પતિની કામના અને નવપરિણીતાઓ પતિના લાંબા આયુષ્ટ માટે એવરત તો મહિલાઓ સંતાન અને પતિના સારા સ્વાસ્થ્ય માટે જીવરણનું વ્રત કરે છે. આ એક જ વ્રત એવું છે કે જેમાં વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવું પડે છે આ સમય દરમિયાન અખંડ દીવો ચાલુ રાખવાની હોય છે. દિવાસાને દીપપૂજા અને હરિયાળી અમાસ તરીકે પણ ઊજવવામાં આવે છે.

દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે. આ વ્રત દશ દિવસ નું છે. દશ દિવસ પૂરા થાય એટલે શ્રાવણ સુદી દશમ ના દિવસે આ વ્રત નું ઉજવણું કરાય છે.

શાસ્ત્ર-પુરાણોએ જેના ગુણગાન ગાયા છે એવું આ અતિ ફળદાયી વ્રત છે. આ વ્રત કરનારના ત્રિવિધ તાપ દશામાં ટાળે છે. રિદ્ધિ-સિદ્ધિ દેનાર, સુખ, સમુદ્ધિ વધારનાર આ વ્રત કરનાર ભાવિકજનો નો સંકટકાળે દશામા સદાય હાથ ઝાલે છે અને દશામા જેનો હાથ ઝાલે છે એના પર તેત્રીસ કરોડ દેવતાની ક્રૃપા ઉતરે છે. દશામાની દયા થાય તો ગ્રહોનું નડતર દૂર થાય છે. મંગળ અને રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાં થી મા દશામા જ ઉગારે છે.


દશામાં નો વ્રત પુરો થતા મહિલા ઓ મોટી સંખ્યા માં મોડી રાત્રે શુભ મુહર્ત પ્રમાણે પોતાના માથા ઉપર દશામાં ને બેસાડી ને તળાવ માં પધરાવવા જાય છે,જયારે તેવો નીકળે ત્યારે “એક દો તીન ચાર દશામાં નો જય જયકાર” જેવા ગીતો ગાતા-ગાતા ભાવપૂર્વક દશામાં ને પાણી માં પધરાવે છે.


સૌને દિવાસો પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ : રાધે રાધે 🙏🏻 અમરકથાઓ

આ પણ વાંચો 👇

❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા

📚 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ 

ભોળાનાથ નાં સુંદર ભજન

11 રાધાકૃષ્ણ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *